
પકડાયેલ વ્યકિતને જેની સમક્ષ લઇ જવામાં આવે તે મેજિસ્ટ્રેટે કરવાની કાયૅવાહી
(૧) પકડાયેલ વ્યકિત વોરંટ કાઢનાર ન્યાયાલયે પકડવા ધારેલ વ્યકિત છે એવું જણાય તો એકિઝયુટિવ મેજિસ્ટ્રેટ કે જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કે પોલીસ કમિશ્નર તે વ્યકિતને પહેરા નીચે તે ન્યાયાલય સમક્ષ લઇ જવા ફરમાવશે.
પરંતુ ગુનો જામીની હોય અને તે વ્યકિત મેજિસ્ટ્રેટ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ કે કમિશ્નરને સંતોષકારક જામીનખત આપવા તૈયાર અને રાજી હોય અથવા કલમ-૭૩ હેઠળ તે વોરંટ ઉપરના શેરામાં કોઇ આદેશ આપ્યો હોય અને તે વ્યકિત તે આદેશ મુજબ જોઇતી જામીનગીરી આપવા તૈયાર અને રાજી હોય તો તે મેજિસ્ટ્રેટ જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ કે કમિશ્નરે યથા પ્રસંગ એવા જામીનખત કે જામીનગીરી લેવી જોઇશે અને વોરંટ કાઢનાર ન્યાયાલયને તે મુચરકો મોકલી આપવો જોઇશે. વધુમાં ગુનો બિન જામીની હોય તો કલમ-૮૦ની પેટા કલમ (૨)માં ઉલ્લેખેલ માહિતી અને દસ્તાવેજોની વિચારણા કરીને તે વ્યકિતને જામીન ઉપર છોડવાનું જે જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હોય તે જિલ્લાના ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ માટે (કલમ-૪૮૦ની જોગવાઇઓને અધીન રહીને) અથવા સેશન્સ જજ માટે કાયદેસર ગણાશે.
(૨) આ કલમના કોઇપણ મજકૂરથી કોઇ પોલીસ અધિકારીને કલમ-૭૩ હેઠળ જામીનગીરી લેવાની મના કરવામાં આવેલ હોવાનું ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw